મેથ્યુ ૧૨:૨૪ |
એ સાંભળીને ફરોશીઓએ લોકોને જવાબ આપ્યો, આ માણસ તો દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે. |
|
ચિહ્ન ૩:૨૨ |
યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના શિક્ષકો કહેતા હતા, “તેનામાં બાલઝબૂલ છે,” અને “દુષ્ટાત્માઓના સરદારની મદદ દ્વારા જ તે દુષ્ટાત્માઓ કાઢે છે.” |
|
મેથ્યુ ૧૦:૨૫ |
તેથી શિષ્ય ગુરુ જેવો અને નોકર શેઠ જેવો બને તો એ ય પૂરતું છે. જો કુટુંબનો વડો બાલઝબૂલ કહેવાયો છે, તો પછી કુટુંબના સભ્યોને તો તેથી પણ વધુ ખરાબ નામથી બોલાવવામાં આવશે. |
|
મેથ્યુ ૧૨:૨૭ |
તમે એમ કહો છો કે બાલઝબૂલે આપેલા અધિકારથી હું દુષ્ટાત્માઓને હાંકી કાઢું છું, તો તમારા અનુયાયીઓ કોના અધિકારથી દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે? તમે જુઠ્ઠા છો એવું તમારા અનુયાયીઓ જ સાબિત કરે છે. |
|
એલજે ૧૧:૧૫-૧૯ |
[૧૫] પણ કેટલાક લોકોએ કહ્યું, “દુષ્ટાત્માઓનો સરદાર બાલઝબૂલ તેને દુષ્ટાત્માઓ કાઢવાની શક્તિ આપે છે.”[૧૬] બીજા કેટલાક તેમને સપડાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની અનુમતિ છે એમ દર્શાવવા તેમણે તેમને ચમત્કાર કરી બતાવવા કહ્યું.[૧૭] પણ ઈસુ તેમના વિચારો જાણતા હોવાથી તેમણે તેમને કહ્યું, “જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે જો કુટુંબમાં ભાગલા પડી જાય તો તેનું પતન થાય છે.[૧૮] તેથી જો શેતાનના રાજ્યમાં અરસપરસ લડતાં જૂથો હોય તો તે કેવી રીતે ટકી શકે? પણ તમે કહો છો કે બાલઝબૂલ મને શક્તિ આપે છે તેથી હું દુષ્ટાત્માઓ કાઢું છું. વળી, જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓ કાઢું છું,[૧૯] તો તમારા અનુયાયીઓ કોની મદદથી કાઢે છે? તમારા પોતાના અનુયાયીઓ જ સાબિત કરે છે કે તમે જુઠ્ઠા છો. |
|
૪ કિંગ્સ ૧:૧-૩ |
[૧] ઇઝરાયલના રાજા આહાબના મરણ પછી મોઆબ દેશે ઇઝરાયલ સામે બળવો પોકાર્યો.[૨] ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા.[૩] પણ પ્રભુના દૂતે તિશ્બેના સંદેશવાહક એલિયાને પેલા સંદેશકોને મળીને આમ કહેવા મોકલ્યો. “તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા કેમ જાઓ છો? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? |
|
એલજે ૧૧:૧૮ |
તેથી જો શેતાનના રાજ્યમાં અરસપરસ લડતાં જૂથો હોય તો તે કેવી રીતે ટકી શકે? પણ તમે કહો છો કે બાલઝબૂલ મને શક્તિ આપે છે તેથી હું દુષ્ટાત્માઓ કાઢું છું. વળી, જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓ કાઢું છું, |
|
ચિહ્ન ૩:૨૦-૩૦ |
[૨૦] પછી ઈસુ ઘેર આવ્યા. ફરીથી લોકોનો એવો મોટો સમુદાય એકઠો થયો કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય ન મળ્યો.[૨૧] જ્યારે તેમનાં કુટુંબીજનોએ આ બધું સાંભળ્યું ત્યારે તેઓ ઈસુને પકડી લાવવા નીકળી પડયા; કારણ, લોકો કહેતા હતા, “તે પાગલ થઈ ગયો છે!”[૨૨] યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના શિક્ષકો કહેતા હતા, “તેનામાં બાલઝબૂલ છે,” અને “દુષ્ટાત્માઓના સરદારની મદદ દ્વારા જ તે દુષ્ટાત્માઓ કાઢે છે.”[૨૩] તેથી ઈસુએ તેમને પોતાની પાસે બોલાવી કેટલાંક ઉદાહરણ આપતાં કહ્યું: “શેતાન પોતાને જ કેવી રીતે હાંકી કાઢે?[૨૪] જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે.[૨૫] જો કોઈ કુટુંબ અરસપરસ લડતાં જૂથોમાં વહેંચાઈ જાય, તો તે કુટુંબ નાશ પામશે.[૨૬] તેવી જ રીતે શેતાનના રાજ્યમાં ભાગલા પડી જાય, તો તે ટકી શકે નહિ, પણ તેનું પતન થાય અને તેનો અંત આવે.[૨૭] “બળવાન માણસને પ્રથમ બાંયા વિના તેના ઘરમાં જઈને કોઈ તેની માલમિલક્ત લૂંટી શકતું નથી. તેને બાંયા પછી જ તેનું ઘર લૂંટી શકાય છે.[૨૮] હું તમને સાચે જ કહું છું: માણસોને તેમનાં બધાં પાપની અને ઈશ્વરનિંદાની ક્ષમા મળી શકે છે,[૨૯] પણ પવિત્ર આત્મા વિરુદ્ધ જે કોઈ ભૂંડી વાત બોલશે તેને કદી માફ કરવામાં આવશે નહિ;[૩૦] કારણ, પોતાને માથે સાર્વકાલિક દોષ રહે એવું પાપ તેણે કર્યું છે.” કારણ, કેટલાકે “તેને દુષ્ટાત્મા વળગ્યો છે” એવું કહ્યું હતું. સાચાં સગાં કોણ? |
|
૪ કિંગ્સ ૧:૧૬ |
અને તેને કહ્યું, “પ્રભુ આમ કહે છે: જેમનો સંપર્ક સાધીને પૂછી શકાય એ ઈશ્વર ઇઝરાયલમાં નથી કે તેં એક્રોનના દેવ બઆલને પૂછવા સંદેશકો મોકલ્યા? તો હવે તું સાજો થવાનો નથી; પણ નક્કી મૃત્યુ પામશે.” |
|
જિનેસિસ ૧:૧ |
આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. |
|
મેથ્યુ ૯:૩૪ |
પણ ફરોશીઓએ કહ્યું, એ તો ભૂતોનો સરદાર તેમને ભૂત કાઢવાની શક્તિ આપે છે. |
|
પ્રકટીકરણ ૨૧:૨૦ |
પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો સુવર્ણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકુત. |
|
જોબ ૨:૧૧ |
જ્યારે યોબ પર આવી પડેલી વિપત્તિના સમાચાર તેના ત્રણ મિત્રોએ જાણ્યા ત્યારે તેઓ એટલે, એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાના ઘેરથી નીકળ્યા અને નક્કી કરેલ સ્થળે મળ્યા અને યોબને તેના દુ:ખમાં સહાનુભૂતિ દાખવવા અને આશ્વાસન આપવા ગયા. |
|
૪ કિંગ્સ ૧:૬ |
તેમણે જવાબ આપ્યો, “અમને એક માણસનો ભેટો થઈ ગયો. તેણે અમને તમારી પાસે પાછા મોકલતાં કહ્યું કે પ્રભુ તમને આમ કહે છે: ‘એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા તેં સંદેશકો કેમ મોકલ્યા છે? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” |
|
જ્હોન ၁:၁ |
સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દ નું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો. |
|
એલજે ၁၁:၁၉ |
તો તમારા અનુયાયીઓ કોની મદદથી કાઢે છે? તમારા પોતાના અનુયાયીઓ જ સાબિત કરે છે કે તમે જુઠ્ઠા છો. |
|
નિર્ગમન ૬:૨૩ |
આરોને આમ્મીનાદાબની પુત્રી એટલે નાહશોનની બહેન એલીશેબા સાથે લગ્ન કર્યાં. એલીશેબાએ નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામારને જન્મ આપ્યો. |
|
એલજે ၃:၁ |
સમ્રાટ તિબેરિયસના શાસનનું પંદરમું વર્ષ ચાલતું હતું; તે વખતે પોંતિયસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, હેરોદ ગાલીલમાં રાજ કરતો હતો, અને તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈ તથા ત્રાખોનીતીના પ્રદેશો પર અમલ ચલાવતો હતો; લુસાનિયસ આબિલેનેનો રાજા હતો, |
|
જિનેસિસ ૧૦:૧૦ |
શિનઆર દેશનાં બેબિલોન, એરેખ, આક્કાદ અને કાલ્નેહ નિમ્રોદના સામ્રાજ્યનાં શરૂઆતનાં કેન્દ્ર હતાં. |
|
જિનેસિસ ૧૪:૧ |
એવામાં શિનઆરનો રાજા આમ્રાફેલ, એલ્લાસારનો રાજા આર્યોખ, એલામનો રાજા કદોરલાઓમેર અને ગોઈમનો રાજા તિદાલ |
|
પુનર્નિયમ ૧૪:૫ |
સાબર તથા હરણ, કાળિયાર અને જંગલી બકરાં; પહાડી હરણ, છીંકારા તથા પહાડી ઘેટાં. |
|
રુથ ૧:૨ |
તે માણસનું નામ એલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે પુત્રોનાં નામ માહલોન અને કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમમાં વસેલા એફ્રાથી ગોત્રનાં હતાં. તેઓ મોઆબ દેશમાં જઈને ત્યાં જ ઠરીઠામ થયાં. |
|
નહેમ્યાહ ૧:૧ |
હખાલ્યાના પુત્ર નહેમ્યાનું આ વૃત્તાંત છે. આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે કિસ્લેવ માસમાં હું નહેમ્યા, પાટનગર સૂસામાં હતો. |
|
એસ્થર ૧:૧ |
અહાશ્વેરોશ રાજા હિંદથી કૂશ સુધી એક્સો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેની રાજધાની સૂસામાં હતી. |
|
૩ કિંગ્સ ૧:૨ |
તેથી તેના અધિકારીઓએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારી સાથે રહેવા અને તમારી સેવાચાકરી કરવા અમને એક યુવતી શોધી કાઢવા દો. તે તમારી ગોદમાં સૂઈ જશે અને તેનાથી તમારા શરીરને હૂંફ વળશે.” |
|
પ્રકટીકરણ ૧૬:૧૬ |
પછી પેલા આત્માઓએ જેને હાર-માગેદોન કહેવાય છે તે સ્થળે રાજાઓને એકઠા કર્યા. |
|
યશાયાહ ૩૪:૧૪ |
ત્યાં જંગલી પ્રાણીઓ અને વરુઓનો ભેટો થશે અને જંગલી બકરા સામસામે બેંબેં કરશે. નિશાચરો ત્યાં વાસો કરશે અને તે તેમનું વિરામસ્થાન બની રહેશે. |
|
મેથ્યુ ๒๒:๓๗ |
ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’ |
|
ચિહ્ન ૩:૧-૬ |
[૧] ઈસુ ફરીથી એકવાર ભજનસ્થાનમાં ગયા. ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો.[૨] કેટલાક માણસો ઈસુ કંઈક ખોટું કરે તો તેમને દોષિત ઠરાવવાનું કારણ શોધતા હતા; તેથી ઈસુ તેને વિશ્રામવારે સાજો કરશે કે કેમ તે જોવા તેઓ ચાંપતી નજર રાખી રહ્યા હતા.[૩] ઈસુએ સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું. “અહીં આગળ આવ.”[૪] પછી તેમણે લોકોને પૂછયું, “આપણું નિયમશાસ્ત્ર આપણને વિશ્રામવારે શું કરવાનું કહે છે? સહાય કરવાનું કે નુક્સાન કરવાનું? માણસને બચાવવાનું કે તેને મારી નાખવાનું?” તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ.[૫] ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો.[૬] તેથી ફરોશીઓ ભજનસ્થાનમાંથી ચાલ્યા ગયા, અને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા માટે તેઓ હેરોદના પક્ષના કેટલાક સભ્યોને તરત જ મળ્યા. |
|
ચિહ્ન ๑๐:๔๖-๕๒ |
[๔๖] તેઓ યરીખોમાં આવ્યા. ઈસુ પોતાના શિષ્યો તથા મોટા ટોળા સાથે યરીખોથી નીકળતા હતા, ત્યારે તિમાયનો દીકરો અંધ બાર્તિમાય રસ્તે ભીખ માગતો બેઠો હતો.[๔๗] જ્યારે તેને ખબર પડી કે એ તો નાઝારેથના ઈસુ છે ત્યારે તે બૂમો પાડવા લાગ્યો, “ઈસુ, દાવિદના પુત્ર, મારા પર દયા કરો!” ઘણાએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું.[๔๘] પણ તે તો એથી પણ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાવિદના પુત્ર, મારા પર દયા કરો!”[๔๙] ઈસુએ ઊભા રહીને કહ્યું, “તેને બોલાવો.” તેથી તેમણે એ આંધળા માણસને બોલાવીને કહ્યું, “હિંમત રાખ; ઊભો થા; ઈસુ તને બોલાવે છે.”[๕๐] તેણે પોતાનો ઝભ્ભો ફેંકી દીધો, તે કૂદીને ઊઠયો અને ઈસુ પાસે આવ્યો.[๕๑] ઈસુએ તેને પૂછયું, “તારી શી ઇચ્છા છે? તારે માટે હું શું કરું?” અંધજને જવાબ આપ્યો, “ગુરુજી, મારે દેખતા થવું છે.”[๕๒] ઈસુએ તેને કહ્યું, “જા, તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે.” તે તરત જ દેખતો થયો, અને માર્ગમાં ઈસુની પાછળ ચાલવા લાગ્યો. |
|
ડેનિયલ ๑:๗ |
મુખ્ય અધિકારીએ દાનિયેલનું બેલ્ટશાસ્સાર, હનાન્યાનું શાદ્રાખ, મિશાએલનું મેશાખ અને અઝાર્યાનું અબેદ-નગો એવાં નામ પાડયાં. |
|
ન્યાયાધીશો ૪:૬ |
એક દિવસે તેણે નાફતાલીના કુળપ્રદેશમાં આવેલા કેદેશ નગરમાંથી અબિનોઆમના પુત્ર બારાકને બોલાવડાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ તને આવી આજ્ઞા ફરમાવી છે: “નાફતાલી અને ઝબુલૂનનાં કુળોમાંથી દસ હજાર માણસોને તારી સાથે લઈને તાબોર પર્વત જા. |
|
૪ કિંગ્સ ૧૯:૩૭ |
એક દિવસે તે પોતાના દેવ નિસ્રોખની પૂજા કરી રહ્યો હતો ત્યારે તેના બે પુત્રો આદ્રામેલેખ અને શારસેરે તેનો તલવારથી સંહાર કર્યો અને ત્યાંથી અરારાટ દેશમાં નાસી ગયા. તેના પછી તેનો પુત્ર એસાર્હેદોજન સમ્રાટ બન્યો. |
|
એઝેકીલ ၂၃:၄ |
મોટીનું નામ ઓહોલા હતું; જે સમરૂન નગર સૂચવે છે અને નાનીનું નામ ઓહલીબા હતું; જે યરુશાલેમ સૂચવે છે. |
|
યિર્મેયાહ ၁:၁ |
આ યર્મિયાના સંદેશા છે. તે યજ્ઞકાર કુટુંબના હિલ્કિયાનો પુત્ર હતો અને બિન્યામીનના કુળપ્રદેશના અનાથોથ નગરમાં વસતો હતો. |
|
જિનેસિસ ૧૦:૨૨ |
શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ અને અરામ. |
|
એઝરા ૪:૭ |
ફરીથી ઇરાનના સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમિયાન બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ તથા તેમના સાથીઓએ સમ્રાટ પર પત્ર લખ્યો. પત્ર અરામી ભાષામાં લખવામાં આવ્યો હતો, અને વાંચતી વખતે તેનો અનુવાદ કરવાનો હતો. |
|
મેથ્યુ ၁၀:၃ |
ફિલિપ અને બારથોલમી, થોમા અને માથ્થી નાકાદાર, આલ્ફીનો પુત્ર યાકોબ અને થાદી, |
|
અધિનિયમો ๒:๙ |
આપણે પર્સિયા, મિડયા અને એલામના; મેસોપોટેમિયા, યહૂદિયા અને કાપા- દોકિયાના; પોંતસ અને આસિયાના; |
|
લેવિટીસ ૧૧:૫ |
ઘોરખોદિયું અને સસલું; તે વાગોળે છે, પણ તેમની ખરી ફાટેલી નથી; તે અશુદ્ધ છે. |
|
સભાશિક્ષક ๑:๑ |
આ સભાશિક્ષકનાં વચનો છે. તે તો દાવિદનો પુત્ર અને યરુશાલેમનો રાજા હતો. |
|
નિર્ગમન ૩૦:૩૪ |
પ્રભુએ મોશેને કહ્યું, “તું નાટાફ, શહેલેથ અને હેલ્બાના એ ખુશબોદાર તેજાનાઓ સરખા ભાગે લે. વળી, ચોખ્ખું લોબાન લે. |
|
જોબ ๙:๙ |
સપ્તર્ષિ, મૃગશીર્ષ, કૃત્તિકાનાં નક્ષત્રો અને દક્ષિણના તારાગણોના તે સર્જનહાર છે. |
|
અધિનિયમો ๖:๕ |
પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ. તેથી તેમણે સ્તેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો તેને, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને બિનયહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોખમાંથી આવેલ નિકોલસને પસંદ કર્યા. |
|
પ્રકટીકરણ ๑:๑๑ |
તેણે મને કહ્યું, “તું જે જુએ તે પુસ્તકમાં લખ અને એ પુસ્તક એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાદેલ્ફિયા અને લાઓદીકિયા; એ સાતે ય સ્થાનિક મંડળીઓને મોકલી આપ.” |
|
૩ કિંગ્સ ૮:૧૩ |
મેં તમારા સદાના નિવાસસ્થાન માટે હવે આ ભવ્ય મંદિર બાંધ્યું છે.” |
|
ચિહ્ન ๓:๒๓ |
તેથી ઈસુએ તેમને પોતાની પાસે બોલાવી કેટલાંક ઉદાહરણ આપતાં કહ્યું: “શેતાન પોતાને જ કેવી રીતે હાંકી કાઢે? |
|
જોશુઆ ૨૪:૧૫ |
પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.” |
|
Gujarati Bible 2016 (GUCL) |
Bible Society of India |