૧ |
પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં યાજકો, ભક્તિસ્થાનના અગ્રેસર તથા સદૂકીઓ તેઓ પર ધસી આવ્યા; |
૨ |
કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું મરણોત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા. |
૩ |
તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા. |
૪ |
તોપણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ. |
૫ |
બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ, |
૬ |
તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગાં યરુશાલેમમાં એકઠા થયા. |
૭ |
પિતર તથા યોહાનને તેઓની મધ્યમાં ઊભા રાખી, તેઓએ તેઓને પૂછ્યું કે, કયા પરાક્રમથી કે કયા નામથી તમે એ કર્યું છે? |
૮ |
ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો, |
૯ |
જે સારું કામ એક અશક્ત માણસના હિતમાં થયું છે તે વિષે જો આજે અમને પૂછવામાં આવે છે, કે તે શાથી સાજો કરાયો છે; |
૧૦ |
તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહયો છે. |
૧૧ |
જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. |
૧૨ |
બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી. |
૧૩ |
ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. |
૧૪ |
પેલા સાજાં થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુધ્ધ બોલી શકાયું નહિ. |
૧૫ |
પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે, આ માણસોને આપણે શું કરીએ? |
૧૬ |
કેમ કે તેઓના દ્વારા એક પ્રસિદ્ધ ચમત્કારિક ચિહ્ન થયું છે, જેની યરુશાલેમના સઘળા રહેવાસીઓને ખબર છે; અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી. |
૧૭ |
પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ. |
૧૮ |
પછી તેઓએ પિતર તથા યોહાનને બોલાવીને આજ્ઞા આપી કે, વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ. |
૧૯ |
પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ ઉચિત છે કે નહિ, એ તમે જ નક્કી કરો. |
૨૦ |
કેમ કે અમે તો જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યાં વિના અમારાથી રહેવાય એમ નથી. |
૨૧ |
પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધાં; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] ઈશ્વરને મહિમા આપતા હતા. |
૨૨ |
કેમ કે જે માણસના હકમાં સાજાંપણાનું આ ચમત્કારિક ચિહ્ન થયું હતું તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો. |
૨૩ |
પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું. |
૨૪ |
તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો; |
૨૫ |
તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે, વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે? અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે? |
૨૬ |
પ્રભુની વિરુધ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુધ્ધ દુનિયાના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા; |
૨૭ |
કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુધ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા; |
૨૮ |
જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે. |
૨૯ |
હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું [સામર્થ્ય] આપો; |
૩૦ |
તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો. |
૩૧ |
અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા. |
૩૨ |
વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી. |
૩૩ |
પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મરણોત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. |
૩૪ |
તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં, |
૩૫ |
વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું. |
૩૬ |
યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ (એટલે સુબોધનો દીકરો) રાખી હતી. |
૩૭ |
તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.
|
Gujarati Bible 2017 |
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0 |
|
|
|
|
|
|
|
|
|
|
અધિનિયમો ૪:1 |
અધિનિયમો ૪:2 |
અધિનિયમો ૪:3 |
અધિનિયમો ૪:4 |
અધિનિયમો ૪:5 |
અધિનિયમો ૪:6 |
અધિનિયમો ૪:7 |
અધિનિયમો ૪:8 |
અધિનિયમો ૪:9 |
અધિનિયમો ૪:10 |
અધિનિયમો ૪:11 |
અધિનિયમો ૪:12 |
અધિનિયમો ૪:13 |
અધિનિયમો ૪:14 |
અધિનિયમો ૪:15 |
અધિનિયમો ૪:16 |
અધિનિયમો ૪:17 |
અધિનિયમો ૪:18 |
અધિનિયમો ૪:19 |
અધિનિયમો ૪:20 |
અધિનિયમો ૪:21 |
અધિનિયમો ૪:22 |
અધિનિયમો ૪:23 |
અધિનિયમો ૪:24 |
અધિનિયમો ૪:25 |
અધિનિયમો ૪:26 |
અધિનિયમો ૪:27 |
અધિનિયમો ૪:28 |
અધિનિયમો ૪:29 |
અધિનિયમો ૪:30 |
અધિનિયમો ૪:31 |
અધિનિયમો ૪:32 |
અધિનિયમો ૪:33 |
અધિનિયમો ૪:34 |
અધિનિયમો ૪:35 |
અધિનિયમો ૪:36 |
અધિનિયમો ૪:37 |
|
|
|
|
|
|
અધિનિયમો 1 / અધિનિ 1 |
અધિનિયમો 2 / અધિનિ 2 |
અધિનિયમો 3 / અધિનિ 3 |
અધિનિયમો 4 / અધિનિ 4 |
અધિનિયમો 5 / અધિનિ 5 |
અધિનિયમો 6 / અધિનિ 6 |
અધિનિયમો 7 / અધિનિ 7 |
અધિનિયમો 8 / અધિનિ 8 |
અધિનિયમો 9 / અધિનિ 9 |
અધિનિયમો 10 / અધિનિ 10 |
અધિનિયમો 11 / અધિનિ 11 |
અધિનિયમો 12 / અધિનિ 12 |
અધિનિયમો 13 / અધિનિ 13 |
અધિનિયમો 14 / અધિનિ 14 |
અધિનિયમો 15 / અધિનિ 15 |
અધિનિયમો 16 / અધિનિ 16 |
અધિનિયમો 17 / અધિનિ 17 |
અધિનિયમો 18 / અધિનિ 18 |
અધિનિયમો 19 / અધિનિ 19 |
અધિનિયમો 20 / અધિનિ 20 |
અધિનિયમો 21 / અધિનિ 21 |
અધિનિયમો 22 / અધિનિ 22 |
અધિનિયમો 23 / અધિનિ 23 |
અધિનિયમો 24 / અધિનિ 24 |
અધિનિયમો 25 / અધિનિ 25 |
અધિનિયમો 26 / અધિનિ 26 |
અધિનિયમો 27 / અધિનિ 27 |
અધિનિયમો 28 / અધિનિ 28 |