૧ |
તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. તો હવે સ્વર્ગમાંની બાબતોમાં તમારું મન પરોવો કે જ્યાં ઈશ્વરની જમણી તરફ ખ્રિસ્ત બિરાજેલા છે. |
૨ |
તમારાં મન અહીં આ પૃથ્વી પરની બાબતો પર નહિ, પણ ત્યાં ઉપરની બાબતો પર લગાડો. |
૩ |
કારણ, તમે મૃત્યુ પામ્યા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. |
૪ |
ખ્રિસ્ત જ તમારું સાચું જીવન છે અને જ્યારે તે પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. |
૫ |
તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો. |
૬ |
આવી બાબતોને લીધે ઈશ્વરને આધીન નહિ થનારાઓ પર તેમનો કોપ આવશે. |
૭ |
એકવાર જ્યારે તમારું જીવન એ બાબતોના નિયંત્રણ નીચે હતું ત્યારે તમે પણ આવી વાસનાઓ પ્રમાણે જીવવાને ટેવાયેલા હતા. |
૮ |
પણ હવે તમારે ગુસ્સો, રીસ, અદાવત, નિંદા કે તમારા મુખમાંથી નીકળતા અપશબ્દો એવી સર્વ બાબતોથી મુક્ત થવું જોઈએ. |
૯ |
એકબીજા આગળ જૂઠું ન બોલો, કારણ, તમે જૂના વ્યક્તિત્વને તેની ટેવો સહિત ઉતારી મૂકાયું છે. |
૧૦ |
અને તમે નવું વ્યક્તિત્વ પહેરી લીધું છે. તમે ઈશ્વરને પૂરેપૂરી રીતે જાણી શકો તે માટે આ નવા વ્યક્તિત્વના સર્જનહાર ઈશ્વર તેને પોતાનું પ્રતિરૂપ બનાવવા સતત નવું કરતા જાય છે; જેથી તમે ઈશ્વર વિષેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકો. |
૧૧ |
એમાં નથી કોઈ બિનયહૂદી કે યહૂદી, સુન્નતી કે સુન્નત વિનાના, બર્બર કે સિથિયન, ગુલામ કે સ્વતંત્ર. પણ ખ્રિસ્ત સર્વસ્વ અને સર્વમાં છે. |
૧૨ |
તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, સૌમ્યતા અને ધીરજ પહેરી લેવાં જોઈએ. |
૧૩ |
એકબીજાનું સહન કરો અને જ્યારે તમારામાંથી કોઈને બીજાની વિરુદ્ધ કંઈ ફરિયાદ હોય તો તેને ક્ષમા કરો. પ્રભુએ તમને માફ કર્યું છે માટે તમારે પણ માફી આપવી જોઈએ. |
૧૪ |
સર્વ બાબતોને સંપૂર્ણ સુસંગત બનાવનાર પ્રેમને આ સર્વ બાબતો સાથે જોડી દો. |
૧૫ |
ખ્રિસ્ત જે શાંતિ આપે છે તે તમારાં હૃદયોમાં રાજ કરે. કારણ, આ જ શાંતિને માટે ઈશ્વરે તમને એક શરીર તરીકે આમંત્રણ આપ્યું છે. વળી, આભારી બનો. |
૧૬ |
ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ. |
૧૭ |
તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો. |
૧૮ |
પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, કારણ, ખ્રિસ્તમાં તમારે તેમ કરવું યોગ્ય છે. |
૧૯ |
પતિઓ, તમારી પત્નીઓ પર પ્રેમ કરો અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ. |
૨૦ |
બાળકો, તમારાં માતાપિતાને હંમેશાં આધીન રહેવું તે તમારી ખ્રિસ્તી ફરજ છે અને તેથી પ્રભુ પ્રસન્ન થાય છે. |
૨૧ |
પિતાઓ, તમારાં બાળકોને ચીડવો નહિ, કારણ, તેથી તો તેઓ નિરાશ થાય છે. |
૨૨ |
ગુલામો, સર્વ બાબતોમાં તમારા દુન્યવી માલિકોને આધીન થાઓ અને ફક્ત જ્યારે તેઓ તમારા પર નજર રાખે ત્યારે તેમની પ્રશંસા માટે નહિ, પણ પ્રામાણિક હૃદયથી અને પ્રભુનો ડર રાખીને તેમ કરો. |
૨૩ |
તમારાં બધાં કાર્ય માણસોને માટે નહિ પણ જાણે કે પ્રભુને માટે છે તેમ સમજીને પૂરા દિલથી કરો. |
૨૪ |
યાદ રાખો કે, પ્રભુ તમને બદલામાં તેમનો વારસો આપશે. કારણ, ખ્રિસ્ત તે ખરો માલિક છે કે જેની તમે સેવા કરો છો. |
૨૫ |
પણ અન્યાય કરનાર પ્રત્યેકને તેનાં દુષ્ટ કાર્યોનો બદલો મળશે, કારણ, ઈશ્વર દરેકનો ન્યાય સમાન ધોરણે કરે છે.
|
Gujarati Bible 2016 (GUCL) |
Bible Society of India |
|
|
|
|
|
|
|
|
|
|
કોલોસીઅન્સ ૩:1 |
કોલોસીઅન્સ ૩:2 |
કોલોસીઅન્સ ૩:3 |
કોલોસીઅન્સ ૩:4 |
કોલોસીઅન્સ ૩:5 |
કોલોસીઅન્સ ૩:6 |
કોલોસીઅન્સ ૩:7 |
કોલોસીઅન્સ ૩:8 |
કોલોસીઅન્સ ૩:9 |
કોલોસીઅન્સ ૩:10 |
કોલોસીઅન્સ ૩:11 |
કોલોસીઅન્સ ૩:12 |
કોલોસીઅન્સ ૩:13 |
કોલોસીઅન્સ ૩:14 |
કોલોસીઅન્સ ૩:15 |
કોલોસીઅન્સ ૩:16 |
કોલોસીઅન્સ ૩:17 |
કોલોસીઅન્સ ૩:18 |
કોલોસીઅન્સ ૩:19 |
કોલોસીઅન્સ ૩:20 |
કોલોસીઅન્સ ૩:21 |
કોલોસીઅન્સ ૩:22 |
કોલોસીઅન્સ ૩:23 |
કોલોસીઅન્સ ૩:24 |
કોલોસીઅન્સ ૩:25 |
|
|
|
|
|
|
કોલોસીઅન્સ 1 / કોલોસી 1 |
કોલોસીઅન્સ 2 / કોલોસી 2 |
કોલોસીઅન્સ 3 / કોલોસી 3 |
કોલોસીઅન્સ 4 / કોલોસી 4 |